JETPURRAJKOT

એન્ટી લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૩૨ કેસો પૈકી ૩ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લાએન્ટી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૨ કેસો પૈકી ૩ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૩૨ કેસો પૈકી ૨૮ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૧ કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો.

આ બેઠકમા પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારીશ્રી સંદિપ વર્મા, શ્રી કે.જી.ચૌધરી, શ્રી વિવેક ટાંક તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button