
તા.૧૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત સરકારનાં રોજગાર, કૌશલ્ય વિકાસ અને તાલીમ વિભાગ હેઠળ કાર્યરત સરકારી આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે આગામી તા.૧૭ મે,૨૦૨૩ બુધવારનાં રોજ સવારે ૧૧.૦૦ કલાકે “ધોરણ ૮/૯/૧૦ પછી શું?” વિષય અંગે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં ધોરણ ૮/૯ અને ૧૦ પછી આઈ.ટી.આઈ. માં ઉપલબ્ધ વ્યવસાયલક્ષી કોર્સ તથા તેમાં પ્રવેશને લગતા વિવિધ પ્રશ્નોનું સમાધાન તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં ધોરણ ૮/૯/૧૦ પરીક્ષા આપનારા તેમજ ધોરણ ૧૨ પાસ/ ફેલ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે આ સેમિનારનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું હોવાથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ લાભ તે માટે આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી સાગર રાડીયાએ અનુરોધ કર્યો છે.








