તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની રાજકોટ શહેર શાખા દ્વારા દેશદાઝ અને લોકશાહી મૂલ્યો અંગે નવી પેઢીને જાગૃત કરવા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસે જ્યુબેલી બાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા નજીક નાગરિક ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપતા પરિષદના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યશ્રી જયંતીભાઈ કાલરીયાએ દેશને મહામૂલી આઝાદી અપાવનાર શહીદોને યાદ કરતા જણાવ્યું હતું કે નવી પેઢીને આપણા દેશને આઝાદી કઇ રીતે મળી છે, તેનો ઇતિહાસ જણાવવો જોઈએ અને આઝાદીના જતન અને લોકશાહી મૂલ્યોની જાળવણી માટે કામ કરવું જોઈએ.
આ કાર્યક્રમમાં સંયોજકશ્રી ભાવેશ આચાર્યએ સ્વાગત પ્રવચન, પરિષદના અગ્રણીશ્રી હિંમતભાઈ લાબડીયાએ પ્રાસંગિક પ્રવચન અને પ્રમુખશ્રી રાજેશભાઈ ગોંડલીયાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી શાંતિભાઈ ખાનપુરાએ તથા ધ્વજવંદન વિધિ શ્રી પ્રભાતભાઈ જાધવે કરી હતી. કાર્યક્રમ વ્યવસ્થા શ્રી ધર્મેન્દ્ર ગઢવીએ સંભાળી હતી. આ પ્રસંગે સલાહકારશ્રી યશવંતભાઈ જનાણી અને અગ્રણીશ્રી જિમી અડવાણી, સુરેશભાઈ ચેતા, મહેશભાઈ મહેતા, રસિકભાઈ નિમાવત, હસમુખભાઈ સોલંકી, આર.વી.સોલંકી, રાજેશભાઈ ભાતેલીયા, મધુરીકાબેન જાડેજા, હીનાબેન કનેરીઆ, લક્ષ્મીબેન મિશ્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેમ સંયોજકશ્રી ભાવેશ આચાર્યની યાદીમાં જણાવાયું છે.








