RAJKOT

જેતપુરનાં પેઢલામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ફસાયેલા ૪૦ વિદ્યાર્થીઓ નું રેસ્કયુ કરાયું 

તા.૨૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્કૂલની પાછળના ભાગે દીવાલ પર સીડી મૂકી બાળકોને બચાવી લેવાયા

જેતપુર શહેર અને તાલુકા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પૂર આવતા જેતપુર તાલુકાના પેઢલા ગામે આવેલી કેન્દ્રીય વિદદ્યાલયમાં 40 જેટલા બાળકો અને શિક્ષકો ફસાઈ ગયા હતા જેની જાણ તંત્રને થતાં ડીઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડના જવાનોએ કોઝ-વે પાસે દિવાલ પર સીડી મૂકી વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્કયુ કર્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પેઢલા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ૪૦ જેટલા વિધાર્થીઓ સ્કૂલે આવ્યા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને સારંગ નદી બે કાંઠે થઇ હતી. જેના પરિણામે સ્કૂલ નજીક આવેલા કોઝ-વે પર પાણી ફરી વળતા બાળકોને ઘેર પહોંચવામાં મુશ્કેલી થાય તેવી સ્થિતિ નિર્માણ પામતા તેમના વાલીઓ ચિંતાતુર બન્યા હતા.

આ અંગેની જાણ થતા જેતપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતની ટીમોએ સ્કૂલ ખાતે દોડી જઇ આ ૪૦ બાળકોને પાલિકાના ફાયર વિભાગની સીડીઓ મુકીને રેસ્કયુ કરી સહી સલામત તેમના ઘેર પહોંચાડ્યા હતા. જો કે દર ચોમાસામાં સ્કૂલમાં ભારે વરસાદ ટાંકણે હેરાનગતિ થતી હોય વાલીઓએ સ્કૂલનો મેઇન ગેટ હાઇવે પર કરવા અથવા નક્કર કામગીરી કરી રસ્તો કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button