NAVSARI

નવસારી ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળોમા ૨૮૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રામજીમંદિર હોલ, દુધિયા તળાવ, નવસારી ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રોજગાર ભરતીમેળામાં નવસારી જિલ્લાના વિવિધ શૈક્ષણિક લાયકત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવાર યુવક-યુવતીઓ ઉપસ્થિત રહયાં હતાં. નવસારી તેમજ અન્ય જિલ્લાના કુલ ૨૧ જેટલા એકમો દ્વારા ખાલી જગ્યાઓ નોંધાયેલી હતી. જેમાં ધોરણ -૧૨ પાસ, ITI, ડિપ્લોમાં, સ્નાતક, MCA, B.E. ને લગતી જગ્યાઓ હતી. આ યોજાયેલા ભરતીમેળામાં ૨૮૪ રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોજગાર વિભાગના નાયબ નિયામકશ્રી એન.આર.દવે, રોજગાર અધિકારી શ્રી મિનાક્ષીબેન ચૌહાણ, મદદનીશ શ્રમ આયુકત અધિકારીશ્રી સવાણી ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ રોજગાર કચેરીના મિત્તલબેન ચૌધરીએ કર્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button