NAVSARI

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
છેલ્લા બે દિવસથી અને ખાસ કરીને શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ સ્થિતિને અનુલક્ષીને નવસારી- વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button