JALALPORENAVSARI

નવસારી: જલાલપોર તાલુકાનાં અબ્રામાની સરકારી શાળામાં દિગ્વિજય દિવસની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ડી.એસ.એન્ડ બી.બી સરકારી નમૂનેદાર વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક  શાળામાં તાજેતરમાં દિગ્વિજય દિવસની  ઉજવણી અંતર્ગત ‘યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ’ વિષયક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન સ્વામી વિવકાનંદ ગુજરાત રાજ્ય  યુવા બોર્ડ દ્વારા  કરવામાં આવ્યું હતું.

જેમાં સ્વામી વિવકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વલસાડ, નવસારી ઝોનના સંયોજક હર્ષિતભાઈ દેસાઇ  તથા જલાલપોર તાલુકા સંયોજક જયેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. વકતૃત્વ સ્પર્ધામાં કુલ ૦૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સ્વામી વિવકાનંદનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરાયા હતાં. નિર્ણાયક શિક્ષકો જ્યોતિકાબેન ટંડેલ તથા વિપુલભાઈ પટેલે સેવા આપી હતી. આભારવિધિ સુભાષભાઈ રોહિતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના  શિક્ષિકા દિપ્તીબેન સોલંકીએ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી રજનીકાંત મકવાણાએ સૌને શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button