BANASKANTHAGUJARATPALANPUR

કમલ વિદ્યામંદિર, ભૂતેડી ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

કમલ વિદ્યામંદિર, ભૂતેડી ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

પાલનપુર તાલુકાના ભુતેડી ગામ સ્થિત કમલ વિદ્યામંદિર ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શાળાના આચાર્ય શ્રી એમ.એમ.પટેલના માર્ગ દર્શન હેઠળ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમા શાળાના ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક બની ધોરણ ૯ થી ૧૨ મા શિક્ષણ કાર્ય કર્યું હતું. દરેક વિદ્યાર્થીમિત્રોએ સુંદર શિક્ષણ કાર્ય કરાવેલ. શિક્ષણ કાર્ય બાદ સભાનું આયોજન કરવામાં આવેલ જેમા શાળાના મંત્રીશ્રી મહેશભાઈ પ્રજાપતિ , આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજરી આપી હતી. શાળાના આચાર્ય સર  દ્વારા પ્રસંગ અનુરૂપ ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીમિત્રોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન શૈલેષભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોએ સંપૂર્ણ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button