BHUJKUTCH

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા કચ્છ જિલ્લાના પ્રવાસે.

25-મે

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૨૬/૫ થી તા.૨૭/૫ સુધીના બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે.

તેઓ તા.૨૬મીએ સવારે ૮ કલાકે શીતળા માતાજી મંદિર પાસે, લાયજા રોડ, માંડવી મુકામે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લેશે. ૯.૩૦ કલાકે વરંડી મોટી, તા.અબડાસા-કચ્છ ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત રીચાર્જ ફિલ્ટર વેલના કામની મુલાકાત લેશે. ૧૦.૩૦ કલાકે મોથાળા તા.અબડાસા-કચ્છ મુકામે પાણી પુરવઠાના સુથરી જૂથ સુધારણા અંતર્ગત ચાલતા પાઇપ લાઇનના કામોની મુલાકાત લેશે. ૧૨ કલાકે ઉસ્તીયા તા.અબડાસા ખાતે સુજલામ સુફલામ યોજનાના કામોની મુલાકાત લેશે. બપોરે ૧૩ કલાકે આશાપુરા મંદિર, માતાનામઢ તા.લખપત-કચ્છ ખાતે માતાના મંદિર ખાતે દર્શન કરશે. બપોરે ૧૪.૩૦ કલાકે પાણી પુરવઠા હેડ વર્કસ, નખત્રાણા-કચ્છ ખાતે પાણી પુરવઠાની નખત્રાણા કોમ્પલેક્ષ જૂથ સુધારણાના કામોની મુલાકાત (WTP) લેશે. બપોરે ૧૫ કલાકે ભુજ-નખત્રાણા હાઈવે, નખત્રાણા-કચ્છ મુકામે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લેશે. બપોરે ૧૫.૩૦ કલાકે અધોછની, તા.નખત્રાણા-કચ્છ ખાતે પાણી પુરવઠા મંજલ કોમ્પલેક્ષ જૂથ સુધારણા કામોની મુલાકાત લેશે. સાંજે ૧૬.૩૦ કલાકે સુખપર તા.ભુજ-કચ્છ ખાતે પાણી પુરવઠા ભુજ ભાગ-૨ જૂથ સુધારણા યોજનાના કામોની મુલાકાત લેશે. સાંજે ૧૭.૩૦ કલાકે સર્કીટ હાઉસ, ભુજ ખાતે પાણી પુરવઠા અને સિંચાઇ, અન્ન નાગરિક પુરવઠાના સ્થાનિક પ્રશ્નો બાબતે ધારાસભ્યશ્રીઓ સાથે મુલાકાત લેશે.

તા.૨૭મીએ સવારે ૮ કલાકે ગુંદીયાળી તા.માંડવી ખાતે પાણી પુરવઠાના ડી-સીલેનેશન પ્લાન્ટના ચાલુ કામોની મુલાકાત લેશે. ૧૦ કલાકે મોટી ભુજપુર તા.મુન્દ્રા મુકામે સિંચાઇ વિભાગના રીચાર્જ બોરવેલના કામની મુલાકાત લેશે. બપોરે ૧૨ કલાકે વીડી તા.અંજાર ખાતે પાણી પુરવઠા વીડી જૂથ સુધારણાના કામોની મુલાકાત (પાઇપ લાઇન અને ફિલ્ટર પ્લાન્ટ)ની મુલાકાત લેશે. બપોરે ૧૪ કલાકે ટપ્પર જળાશય તા.અંજાર મુકામે ટપ્પર જળાશયની મુલાકાત લેશે. સાંજે ૧૬.૩૦ કલાકે રામવાવ તા.રાપર મુકામે પાણી પુરવઠા સુવઇ ડેમ પ્રોજેકટના કામોની મુલાકાત (ફિલ્ટર પ્લાન્ટ) ની મુલાકાત લેશે.

[wptube id="1252022"]
Back to top button