WANKANER વાંકાનેરના લુણસરીયા ગામ માં મંદિરો પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રોશની થી ઝગમગી ઉઠ્યા

WANKANER વાંકાનેરના લુણસરીયા ગામ માં મંદિરો પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રોશની થી ઝગમગી ઉઠ્યા
“વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા અને પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા સહિત સમગ્ર ગામજનો શ્રીરામ ભક્તિના ભાવે રંગાયા!!!”

સમગ્ર દેશવાસીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી હર ઘર દીપ પ્રગટતીય ની જાહેરાત કર્યાની સાથે સમગ્ર દેશવાસીઓ શ્રીરામની ભક્તિ ભાવે રંગાઈ ગયા છે ત્યારે વાંકાનેરના લુણસરિયા ગામ ખાતે દેવી દેવતાઓના મંદિરો પર રોશની ની ચમક દિપાવલીની જેમ ઝગમગી ઉઠી છે જેથી સમગ્ર લુણસરિયા ગ્રામ્ય વિસ્તારના લોકો શ્રી રામ ની ભક્તિ ભાવે પૂજાપાઠ પ્રાર્થના આરતીઓના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ની ઉત્સાહભેર ઉજવણીમાં લાગી ગયા છે તેમાં લુણસરિયા ગામમાં રંગબેરંગી પતાકીય થી સમગ્ર વિસ્તારને સજાવટ સાથે રોશની થી ઝગમગાટ સાથે સમગ્ર ગામને સજાવી શ્રીરામ જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે લૂણસરીયા ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા તેમજ વાકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા સહિત મંદિરની સજાવટ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરી શ્રીરામ ભક્તો ના ભક્તિ ભાવે ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ સ્વરૂપે ધાર્મિક ઉત્સવ માં પૂજાપાઠની સાધન સમંગરી સાથે સાથે ફૂલહાર સહિત પૂજા પાઠ પ્રાર્થના આરતી ના ધાર્મિક કાર્યક્રમમાં લાગી ગયા છે જે સમગ્ર લુણસરિયા વિસ્તારમાં સજાવટથી દેવી-દેવતાઓના મંદિરો રોશની થી ઝગમગી રહ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી








