INTERNATIONAL

કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સસ્પેન્ડ

ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી હતી. આગામી નોટિસ સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે તેવી માહિતી અપાઈ છે.
વિઝા કન્સલ્ટન્સી ફર્મના અહેવાલ અનુસાર, એક મહત્ત્વની નોટિસ  જાહેર કરાઇ છે. તેમાં જણાવાયું છે કે આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવાયો છે. તેમાં જણાવાયું છે કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button