
૧૮ ઓક્ટોબર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જામકંડોરણા બસ સ્ટેન્ડ માં હાથ ઉંચો કરી બસ થભાવો સ્લોગન ના ધજાગરા ઉડ્યા

જામકંડોરણા થી જામનગર પરીક્ષા અર્થ જઈ રહેલા વિદ્યાર્થીઓ ને એસટી બસ ના ડ્રાઈવર અને કંડકટર દ્રારા માનસિક પરેશાની કરતો હોવાનું મામલો સામે આવ્યો.
જામકંડોરણા માં બસ સ્ટેશન માં આ રૂટ ની બસ આવી હતી આ બસમાં જામનગર પરીક્ષા અર્થ જઈ રહેલા વિદ્યાર્થીઓ ને ડ્રાઈવર અને કંડકટર દ્રારા કનડગતી નો ભોગ બન્યા હતા એક તરફ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હાથ ઉંચો કરો બસ ઉભી રાખો જેવા સ્લોગન ભાષણમાં અને જાહેરાતો કરે છે જ્યારે બીજી તરફ એસટી વિભાગ ના જ મનસ્વી વર્તન કરતાં ડ્રાઈવર અને કંડકટર વિદ્યાર્થીઓ ને પણ હેરાન પરેસાન તુમાખીભર્યુ વર્તન કરી જીભા જોડી કરવામાં શરમ પણ અનુભવતા નથી એક તરફ સરકાર દ્વારા એવો જાહેર પરીપત્ર બહાર પાડવામાં આવે છે કે પરીક્ષાર્થી કોઈ પણ જગ્યાએ ઉભો હોય તેને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવા શક્ય હોય તેટલો એસટી બસ નો લાભ આપો અને આવા મનસ્વી અને દાદાગીરી કરતાં ડ્રાઈવર અને કંડકટર ને નમ્રતાના પાઠ ભણાવ્યો અનેતેને માલુમ કરવો કે આ એસટી કોઈની માલીકી નથી પ્રજા ની છે. વિદ્યાર્થીઓ સામે અને વિદ્યાર્થીઓ ના કેરીયર સાથે રમત રમતા આવાને કાયદો પાઠનો ભણાવવા અરજદારે મુખ્યમંત્રી સુધી આ બનાવના પુરાવા સાથે લેખિત માં રજુવાત કરી છે
પોતાની હોશિયારી મારીને રોફ જમાવતા આ ડ્રાઈવર અને કંડકટર નો મામલો જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની કાર્યાલય અને જામનગર વિભાગીય નિયામક સુધી પહોંચ્યો છે.હવે જોવાનું રહ્યું આ એસટી ના કર્મચારીની દાદાગીરી નું ભુત ક્યારે ઉતરશે.








