વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મીડિયા કર્મીઓએ તા. ૨૦ જાન્યુ. સુધીમાં તેમની સ્ટોરી ઇ મેઇલ ઉપર મોકલી આપવી
![]()
એવોર્ડ પ્રતિયોગીતાનું પરિણામ સ્ટેજ કાર્યક્રમ દ્વારા સ્ટેજ પરથી જાહેર કરી મીડિયા કર્મીઓને એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનવામાં આવશે. એવોર્ડ પ્રતિયોગીતા માટેની પરિણામની તારીખ હવે પછીથી જણાવવામાં આવશે. જેની એન્ટ્રી નિઃશૂલ્ક રહેશે. જે તે મીડિયા કર્મીએ ન્યૂઝ ઈ-મેઈલ આઈડી patrakarwelfareassociation@gmai.com પર મોકલવાના રહેશે. સાથે પ્રિન્ટ મીડિયાની કોપી વંચાઈ તે મુજબની મોકલવી તથા ન્યૂઝ પેપરનું નામ અને તારીખ સાથેની માહિતી ઈ-મેઈલમાં મોકલવી, ઈમેઈલમાં જે તે મીડિયા કર્મીએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી મેઈલમાં લખવાનું રહેશે. ઈલેકટ્રોનિક મીડિયાના વીડ્યો ન્યૂઝની યુ-ટ્યુબ લીંક ઈ-મેઈલમાં મોકલવાની રહેશે, જો યુ ટ્યુબ લીંક ન હોય અને વીડિયો ન્યૂઝ મોકલવા પડે તેવા સંજોગોમાં ઈમેઈલ પર મોકલાવાયેલા વીડિયો ન્યૂઝની સાઈઝ મહત્તમ ૨૦ એમબીની જ હોવી જોઈએ, વધુ સાઈઝના વીડિયો સ્વીકારાશે નહી, એક મીડિયા કર્મી મહત્તમ બે જ વીડિયો ન્યૂઝ મોકલી શકશે, સાથે ચેનલો પર ચાલેલા ન્યૂઝની તારીખ ફરજિયાત મોકલવાની રહેશે.
આ એવોર્ડ સમારંભ માટે તા. ૦૧-૦૧-૨૦૨૩ થી તા. તા. ૩૧-૧૨-૨૦૨૩ સુધીમાં છપાયેલા અથવા પ્રસિધ્ધ થયેલી પ્રિન્ટ અથવા વીડિયો ન્યૂઝ જ માન્ય ગણવામાં આવશે. જે તે મીડિયાકર્મીએ પોતાના ન્યૂઝ તા. ૨૦-૦૧-૨૦૨૪ સુધીમાં ઈ-મેઈલ પર મોકલી દેવાના રહેશે. ફક્ત ઈ-મેઈલથી આવેલી એન્ટ્રી જ ધ્યાનમાં લેવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. ૮૯૯૯૮૩૩૩૩૩ પર સંપર્ક સાધવા પત્રકાર વેલફેર એસોસિએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.









