NAVSARIVANSADA

વાંસદા ખાતે કોંકણી, કોકણા, કુંકણા સમાજ જ્ઞાતિ મંડળની બેઠક યોજાઇ

વાંસદા ખાતે કોંકણી, કોકણા, કુંકણા સમાજ જ્ઞાતિ મંડળની
બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ -વાંસદા

એપ્રિલમાં મહારાષ્ટ્ર ખાતે યોજાનાર જ્ઞાતિ મંડળનું મહામસંમેલન અંગે

આગોતરૂ આયોજન કરવા માટે દક્ષિણ ગુજરાત અને દાદરા નગર હવેલાના કોંકણી, કોકણા કુંકણા સમાજ જ્ઞાતિ મંડળની બેઠક વાંસદા કુંકણા સમાજના હોલ ખાતે આદિવાસી અધ્યક્ષ અને બેંકના નિવૃત્ત અધિકારી ડાહયાભાઇ વાઢુની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ પ્રસંગે આદિવાસી અધ્યક્ષ શ્રી ડાહયાભાઇ વાઢુએ કુંકણા, કોંકણી, કોંકણાના ઇતિહાસની વાતો સમાજના લોકોને સમજાવ્યા હતાં. જેમાં રીત રિવાજો, જન્મ, મૃત્યુ, લગ્ન તેમજ ખાસ કરીને મરણવિધિમાં દેવકારીયા એટલે મરણ પામનારને વિશેષ દેવ નું સ્થાન પીઢી સ્વરૂપે આપી, દર પેઢી તેઓની દર વર્ષે દરેક કુળમાં પરંપરાગત રીતે ચૈત્રી માસમાં ઉજવણી કરી તેમને પેઢીમાં સ્થાન આપી સ્થાપના કરવાની વિધિ પરંપરા કુંકણા, કોકણી, કોકણા જ્ઞાતિમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ પરંપરા પરદાદા અને દાદા અને આજની પેઢીને જાળવી રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ શિક્ષણક્ષેત્રે સમાજના બાળકો શિક્ષણમાં ખૂબ આગળ વધે તેની કાળજી લેવા જણાવ્યું હતું.

આગામી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરાનગર હેવેલી તેમજ

રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજયોમાં વસેલા સમજના કુંકણા, કોંકણી,

કોકણા જ્ઞાતિ મંડળ મહાસંમેલન તા. ૨૨/૦૪/૨૦૨૩ અને ૨૩/૦૪/૨૦૨૩

ના રોજ યોજાનાર છે. જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે એક બેઠક મહારાષ્ટ્ર

ખાતે વણી (નાંદુરી) નાશિક ખાતે તા. ૧૯/૦૨/૨૦૨૩ ના રોજ યોજાશે.

આ બેઠકનો મુખ્ય ઉદેશ એ છે કે, સમાજની સંસ્કૃતિ, રીત રિવાજો, ભાષા, બોલી, આદિવાસી પરંપરા જેવી વિધિઓ, જન્મ-મરણ તથા લગ્નની વિધિઓ જળવાઇ રહે અને સમાજના લાકો આદિવાસી જીવન સંસ્કૃતિ તરફ વળવા એ મુખ્ય હેતુ છે.

આ બેઠકમાં શ્રી બાબુભાઇ ગાંગુડા, નાનુભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ પવાર, નવનીતભાઇ ચૌધરી, ઇશ્વરભાઇ પવાર, તુલસીરામ ભોંયે, ભીમસીંગભાઇ કોકણી, કાંતિલાલ કુબ્બી, જગદીશભાઇ પટેલ, બાબુભાઇ જાદવ, નિલેશભાઇ નિકુળીયા, ડો. મધુભાઇ સહિત અન્ય આગેવાનો હાજર રહિયા હતા.

[wptube id="1252022"]
Back to top button