હાલોલ:ચૈત્રી નવરાત્રીને લઈને આવનારા લાખો ભક્તોની સેવા માટે તંત્ર સજ્જ બન્યૂ,૭૦૦ સૂરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે તૈનાત

તા.૧૯.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આગામી ૨૨ મી માર્ચ નાં રોજથી આરંભ થઇ રહેલા ચૈત્રી નવરાત્રી પર્વને લઇ ૫૧ શક્તિ પીઠ પૈકી ની એક શક્તિ પીઠ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં કાલિકા નાં દર્શનાર્થે આવનાર લાખોની સંખ્યામાં માઇ ભક્તો ને લઇ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ એસટી વિભાગ પણ સજ્જ બની ગયું છે.ચૈત્રી નવરાત્રી પર્વ ને આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી ને લઇ પોલીસ તંત્ર દ્વારા ૩ ડીવાઇએસપી,૮ પીઆઈ,૩૦ પીએસાઈ,૨૫૦ પોલીસ,જીઆરડી,હોમગાર્ડ,મહિલા પોલીસ સહિત અંદાજિત ૭૦૦ જેટલા પોલીસ કર્મીઓ યાત્રિકો ઉપર બાજ નજર રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.પોલીસ દ્વારા જુદા જુદા પોઇન્ટો ઉભા કરી વિડિયો ગ્રાફી,સીસીટીવી કેમેરા વિગેરે થી યાત્રિકો પર બાજ નજર રાખવામાં ઉપરાંત સ્ટેન્ડ બાય ફાયર તેમજ એમબ્યુલન્સ સજજ રહેશે.જ્યારે એસ ટી નિગમ દ્વારા યાત્રકોની અવર જવર કરવા માટે પાવાગઢ તળેટી બસ્ટેન્ડ થી માંચી ડુંગર સુધી અપડાઉન કરવા ૬૦ જેટલી બસો અવિરત દોડતી રહેશે.હાલોલ ડોકટર એસોશીએશન દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ડોકટરની ટીમ પણ ઉપસ્થિત રહેશે.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિ પૂર્ણ માહોલમાં દર્શન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત વહેલી સવારે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે જે મોડી સાંજ સુધી ચાલુ રહેશે.યાત્રિકોની સુરક્ષા અને સલામતી ને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સીસીટીવી કેમેરા થી સજ્જ બની ખાનગી સિક્યુરિટી દ્વારા યાત્રિકો પર નજર રાખવામાં આવશે.તેવીજ રીતે પાવાગઢ ખાતે આવેલ ઉડન ખટોલા પણ વહેલી સવારથી ચાલુ કરી દેવામાં આવશે જે મોડી સાંજ સુધી અવિરત ચાલુ રહેશે.ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભકતો પગપાળા તેમજ રથ લઇને આવતા યાત્રીકો માટે ચા નાસ્તો ઠંડા પાણી સરબત જમવાનું તેમજ રેહવા માટે ઠેર ઠેર માઇ ભક્તો દ્વારા વિસામા તૈયાર કરવામાં આવી રહ્યા છે.