MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત ના મફતગાળા ના અયોજન માટે મીટીંગ યોજાઈ

વિજાપુર તાલુકા પંચાયત ના મફતગાળા ના અયોજન માટે મીટીંગ યોજાઈ
પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં મફત ગાળા ના પ્લોટ માટે અરજદારો ને સહાય માટે ની તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા તેમજ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રમેશજી ચાવડા તેમજ વિરોધ પક્ષના દીનેશસિંહ ચૌહાણ વગેરે ની ઉપસ્થિતિ માં લેન્ડ કમીટી ની મીટીંગ યોજાઈ હતી જેમાં 67 જેટલા અરજદારો એ કરેલી અરજીઓ ની ચકાસણી કર્યા બાદ તેમાંથી 29 જેટલા અરજદારો ને લાભ અપાયો હતો અન્ય અરજદારો માં કોઇને મિલકત તેમજ કેટલાક અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હોવાથી તેવી અરજી બહાર કાઢી નાખવામાં આવી હતી અને 29 જેટલા અરજદારો ને લાભો મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે સિનિયર કર્મચારી સંજય ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગત રોજ લેન્ડ કમીટી ની મળેલી મીટીંગ માં આવેલ અરજીઓ ના નિકાલ માટે મીટીંગ યોજાઈ હતી જેમાં કેટલાક અરજદારો લાભ પાત્ર ના હોવાથી તેનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અને બાકીના લોકોને મફતગાળા પ્લોટ માટે લાભ મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button