MORBI:મોરબી માહિતી કચેરીના અધિક્ષકશ્રી બી.એલ. જાદવની જુનાગઢ બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ

MORBI:મોરબી માહિતી કચેરીના અધિક્ષકશ્રી બી.એલ. જાદવની જુનાગઢ બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ
મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે કચેરી અધિક્ષક તરીકે કાર્યરત શ્રી બી.એલ. જાદવની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

શ્રી બી.એલ. જાદવ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતેથી બદલી થતાં જુલાઈ-૨૦૨૩માં મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે હાજર થયા હતા. હાલ તેમની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતા મોરબી માહિતી પરિવાર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજા અને તેજસ રૂપાણી, ફિલ્મ ઓપરેટરશ્રી ભરતભાઈ ફુલતરીયા, ક્લાર્કશ્રી એ.પી. ગઢવી અને જય રાજપરા, અન્ય સ્ટાફમાં શ્રી કિશોરપરી ગોસ્વામી, હિતેશ્રી દવે સહિતનાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.








