GUJARATMORBI

MORBI:ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે

ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે

ખેડુતો એ તા.૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે.

સરકારશ્રી દ્વારા તા. ૨૧/૧૦/૨૦૨૩ થી મગફળી રૂ.૬૩૭૭/-, મગ રૂ. ૮૫૫૮/-, અડદ રૂ. ૬૯૫૦/- અને સોયબીન રૂ. ૪૬૦૦/- પ્રતિ કિવીંટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયબીન વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ તા.૧૬/૧૦/૨૦૨૩ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફતના ફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button