MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિરનો શુભારંભ

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિરનો શુભારંભ

શિબિરમાં એકસો પચીસ જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયર જોડાયા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાં અનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર યોજાશે જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી *પ્રાણાયામ* – *ધ્યાન* – *યોગ્ય ખોરાકની સમજ* – *યોગાસન* – *આંતરિક સમજણ*સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે.
આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે,યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત કરવા માટે મોરબીના જાણીતા સાધકના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા 125 જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયરએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાયેલ છે અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે પ્રથમ દિવસે SSY નું ઈન્ટરોડક્શન કરવામાં આવ્યું.અને શિબિરના ચૌદ દિવસનું શિડયુલ આપવામાં આવ્યું.

[wptube id="1252022"]
Back to top button