BHUJDEVBHOOMI DWARKAGIR SOMNATHJAMNAGARKUTCHLAKHPATMANDAVIMORBI

તોફાન બિપરજોયની અસરથી દેશના 8 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

ચક્રવાતી તોફાન બિપરજોયની(Cyclone Biparjoy) અસર દેખાવા લાગી છે. મુંબઈથી લઈને કેરળના કિનારા સુધી સમુદ્રમાં તોફાની લહેરો ઉઠી રહી છે. ગુજરાતમાં આઈએમડીએ ભારે એલર્ટ જારી કર્યુ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ચેતવણી જારી કરી દેવાઈ છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપ વગેરે સહિત અમુક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરી દેવાયુ છે. 16 જૂન સુધી બંદરો બંધ કરી દેવાયા છે.
આવનારા ચક્રવાતના કારણે વિસ્તારમાં વધુ ભારે વરસાદ અને ઝડપી પવનો સાથે હવામાન ખરાબ થઈ ગયુ છે. હવામાન વિભાગ અનુસાર 15 જૂને ચક્રવાતી તોફાન બિપરજોયના પ્રભાવથી રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 16 જૂને દક્ષિણ પશ્ચિમી રાજસ્થાનમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ કહ્યુ કે 17 જૂન સુધી જોધપુર, ઉદયપુર અને અજમેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુરૂવારે એટલે કે 15 જૂને બપોરે કચ્છ જિલ્લાના જખાઉ બંદરની પાસે પહોંચશે. જેની મહત્તમ ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. કિનારા સાથે ટકરાયા બાદ ઝડપ ધીમી થઈ જશે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ચક્રવાત બિપરજોય 13 જૂને રાતે સાડા 11 વાગે ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર અક્ષાંક્ષ 21.7N અને લાંબા 66.3E પાસે, દેવભૂમિ દ્વારકાના લગભગ 300 કિલોમીટર WSWમાં સ્થિત છે. ટ્રેકરના લેટેસ્ટ અપડેટ અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોય હાલ 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના કિનારા તરફ વધી રહ્યુ છે.

ચક્રવાત બિપરજોય ઝડપી થવાના કારણે મુંબઈમાં ઊંચી-ઊંચી લહેરો ઉઠી રહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોના નિવાસીઓને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરી દેવાયા કેમ કે ચક્રવાત બિપરજોય વધુ ગંભીર થતુ જઈ રહ્યુ છે. કુલ 17 એનડીઆરએફ ટીમોને કચ્છમાં ચાર, દ્વારકા અને રાજકોટમાં 3, જામનગરમાં 2 અને પોરબંદરમાં એક ટીમ સહિત તૈનાત કરવામાં આવ્યા છે. કેમ કે આજે ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોથી પસાર થવાનું છે. ગુજરાતના કચ્છ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લાની સ્કુલોમાં બે દિવસની રજા જાહેર કરી દેવાઈ છે.

[wptube id="1252022"]
Back to top button