ટંકારા:સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ નું જાજરમાન આયોજન

ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ.
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજીત તા.26/01/2023 ને ગુરૂવાર (વસંતપંચમી) નાં પાવન દિવસે *એક માંડવે લગ્ન એવા ચતુર્થ સમૂહ લગ્ન નું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે આ સમુહ લગ્નોત્સવ માં ટોટલ 19 નવ દંપતી પ્રભુતા માં પગલાં પાડવા જઈ રહિયા છે. આ કાર્યક્રમ માં ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ જયેશભાઈ રાદડીયા કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ તેમજ સાધુ અને સંતો યુગલ ને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે તેમજ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા ના કાર્યકર્તા એવા બેચરભાઈ ઢેઢી યુવા કમિટી પ્રમુખશ્રી અજય સંઘાણી ઉપપ્રમુખ વિમલ ભાગિયા મંત્રી અલ્પેશ મુંજાત તેમજ હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો વગેરે આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહિયા છે.









