RAJKOT -ગેમ ઝોનમાં માનવસર્જિત અગ્નિકાંડની સચોટ તપાસ તથા માનવવધ નો ગુનો દાખલ કરો: માનવ અધિકાર એસોસિયેશન મોરબી જિલ્લા

RAJKOT -ગેમ ઝોનમાં માનવસર્જિત અગ્નિકાંડની સચોટ તપાસ તથા માનવવધ નો ગુનો દાખલ કરો: માનવ અધિકાર એસોસિયેશન મોરબી જિલ્લા

માનવ અધિકાર એસોસિએશન મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી કલેકટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજકોટ ગેમ ઝોન માં માનવસર્જિત અગ્નિકાંડમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનાની સચોટ નિષ્પક્ષ તપાસ કરાવી જે જવાબદાર વ્યક્તિ હોય તેના પર માનવવધ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જેથી બીજી વખત આવી દુર્ઘટના ના બને, આ તકે મોરબી જિલ્લા મહા મંત્રી શ્રી હિતેશભાઈ ભટ્ટ એ જણાવ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો માનવ અધિકાર એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી હિતેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ,સંગઠન મંત્રીશ્રી દિલીપભાઈ ડાંગર, મીડિયા સેકટરી શ્રી વિજયભાઈ ચાવડા, નિકુંજભાઈ ઘેટીયા, સેકટરી શ્રી વિજયભાઈ ડાંગર, સંગઠન મંત્રી અસલમભાઇ શેખ, મીડિયા સેલ કન્વીનર ગોપાલભાઈ સીતાપરા, ધનજીભાઈ સંખેશરીયા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા









