મોરબીના રોહીદાસ પરામાં વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત અશોક કુમાર રેન્જ આઈ જી એ કરી મુલાકાત

મોરબીના રોહીદાસ પરામાં વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત અશોક કુમાર રેન્જ આઈ જી એ કરી મુલાકાત
“આઝાદી બાદ મોરબીમાં સૌપ્રથમ વખત અનુસૂચિત સમાજ ના વિસ્તારમાં આઈ જી પધાર્યા!!!”

મોરબી આઝાદી બાદ સૌપ્રથમ વખત મોરબી ખાતે આવેલા વીસી પરા વિસ્તારની રોહીદાસ પરાની મુલાકાત રેન્જ આઇ.જી અશોકકુમાર એ અનુસૂચિત સમાજના વિસ્તારમાં સરકારી હેલ્પ લાઈન અંતર્ગત કાયદો વ્યવસ્થા અંગેની માર્ગદર્શન સાથે વ્યાજખોરો અને પ્રજા ને કનડગત પ્રશ્નો અંગે જાગૃતિ અંતર્ગત સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું હતું જેમાં અનુસૂચિત સમાજના વ્યક્તિઓ ને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા તેમાં સૌપ્રથમ રોહીદાસ પરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું હતું તેમાં વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત મોરબી જિલ્લાની મુલાકાત કરી હતી તે સમય દરમિયાન પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં પોલીસ સમક્ષ સત્ય હકીકત થી વાકેફ કરી ગુનાહિત પ્રવૃત્તિથી લોકો અટકે તેવા પ્રયાસો અંગે જણાવ્યું હતું નોંધનીય છે કે આજ સુધી એટલે કે આઝાદી બાદ સૌપ્રથમ વખત મોરબી વીસી પરા ના રોહીદાસ પરા ખાતે રેન્જ આઈ જી કક્ષાના અધિકારીએ અનુસૂચિત સમાજની મુલાકાત કરી હતી

એ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા તેમજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ. દેકાવડિયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને સમગ્ર વિસ્તારના અગ્રણીઓ આગેવાનો અનુસૂચિત સમાજના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે









