શાપર (વે.) પત્નીનું ખૂન કરી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢથી પકડી પાડતી શાપર (વે.) પોલીસ

શાપર (વે.) પત્નીનું ખૂન કરી નાસી ગયેલ આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢથી પકડી પાડતી શાપર (વે.) પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા
શાપર(વે) : સર્વોદય સોસાયટી ગોવિંદનગરમાં બે દિવસ પહેલા એક ખૂન થયેલ હોય જેની ફરિયાદ શાપર(વે) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય, જેની તપાસ કરતા પીએસઆઈ આર.કે.ગોહિલને જાણવા મળ્યું કે સર્વોદય સોસાયટી ગોવિંદનગરમાં કંકુબેન ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા આરોપીને તેની પત્ની કમળાબેન સાથે સાંજના છ વાગ્યાની આસપાસ ઝગડો થયેલ હોય, ત્યારે આરોપીએ ક્રોધમાં આવીને તેની પત્નીને ઘાતકી હથિયાર વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારેલ હોય.
જે ઉપરોક્ત ગુન્હાનો આરોપી તેની પત્નીનું ખૂન કરીને ફરાર થઈ ગયો હોય જેને પકડી પાડવા રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા સૂચના કરવામાં આવી હોય. જેના અનુસંધાને ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા ગોંડલ સર્કલ પીઆઈ બી.એલ.રોહિતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.ગોહિલએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના એન્ટ્રી-એકઝીટ પોઇન્ટના સી.સી.ટી.વી. કેમેરા તપાસી તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા આરોપી જુનાગઢ ખાતે છુપાયો હોવાની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફને આરોપીની તપાસમાં મોકલી આરોપી પ્રેમજીભાઇ ગોવિંદભાઇ પરમારને જુનાગઢથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.