
ટંકારાના ધુનડા ખાનપર ગામે કપાસમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા શ્રમિકનું મોત

મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામે રાજુભાઇ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતો શ્રમિક દીપક રૂગનાથભાઇ મુરીયા તા.૦૫ના રોજ કપાસમાં દવા છાંટતો હતો એ વખતે દવાની ઝેરી અસર થતા દીપકને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને પ્રાથમિક સારવાર અર્થે ટંકારાની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગતનો નિવડતા વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન દીપકનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવવા અંગે ટંકારા પોલીસે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]





