
મોરબી:આયુર્વેદીક નસીલા સીરપનો મોટો જથ્થો ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળીયા-મોરબી નેશનલ હાઇવે પર આવેલ જનકપુરી સોસાયટી ખાતે શોપિંગ સેન્ટરમાં દુકાન નં.૩ ખાતે આરોપી પાર્થ હસમુખભાઇ ચૌહાણ દ્વારા આયુર્વેદીક દવાની આડમાં નશીલા સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી આર્યુવેદીક હર્બલની બોટલો TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO.TQ19 લખેલ છે જે એક બોટલની કિંમત રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નગ- ૫,૩૨૦ની કિંમત રૂ.૫,૩૨,૦૦૦ તથા STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO.SH305 લખેલ છે / my જે એક બોટલની કિંમત રૂ. ૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૬,૯૨૦ની કિંમત રૂ.૬.૯૨.૦૦૦ મળી કુલ આર્યુવેદીક બોટલ નંગ-૧૨,૨૪૦ની કિંમત રૂ. ૧૨,૨૪,૦૦૦ના મુદ્દામાલ સાથે પાર્થ ચૌહાણ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો છે









