
આસીફ શેખ લુણાવાડા
સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સહભાગી થતાં ચારણગામ પ્રાથમિક શાળાનાં બાળકો અને શિક્ષકો
શાળાના બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજી અને શાળામાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપી ગામના દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમની પ્રેરણાથી ગત ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
મહીસાગર જિલ્લાના ચારણગામ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોએ હાથ માં જાડું ઉઠાવી શાળાના આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ કરી અને ગામના લોકોને સંદેશો આપ્યો કે દરેક લોકો હાથમાં જાડું ઉઠાવી રસ્તા ,ગામ ,શાળા , શહેર સ્વચ્છ રાખે તો મોટા ભાગની બીમારીઓ સ્વચ્છતાના કારણે દૂર થઈ જાય જેના થકી લોકો નિરોગી જીવન જીવી શકે .
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ચારણગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા યોજી સ્વચ્છતા ની થીમ પર વિવિધ ચિત્ર દ્વારા સ્વચ્છતા રાખવા સંદેશો પાઠવ્યો હતો








