
MORBI:મોરબી, ભુજ, અમદાવાદ ડેઈલી ટ્રેન ચાલુ કરવા પત્ર લખી રજૂઆત કરી

મોરબીના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ ડીઆરએમને રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી, ભુજ, અમદાવાદના મુસાફરોની જરૂરિયાતને ધ્યાને લઈ ડેઈલી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી મોરબી જિલ્લાના પ્રજાજનોની માંગણી છે. મોરબી-વાંકાનેર ચાલતી ડેમુ ટ્રેન મેમુ ટ્રેનમાં પરિવર્તિત કરવા અને ભાડામાં ઘટાડો કરવા અંગે પણ જણાવ્યું છે. તેમજ ગાંધીધામ-કામખીયા ટ્રેનને નઝરબાગ રેલવે સ્ટેશને સ્ટોપ આપવો તેમજ અઠવાડિયામાં એકવારને બદલે બે વાર ટ્રેન ચલાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. સાથે જ ભુજ-બાન્દ્રા ટ્રેન અઠવાડિયામાં બે વખત ચલાવવા જણાવાયું છે.
[wptube id="1252022"]





