
યોગેશ કાનાબાર અમરેલી રાજુલા ધર્મશાળા ના રહેણાક મકાન ના ઉપર નો ભાગ થયો ધરાશાય…..

રાજુલા શહેર માં મુખ્ય બજારમાં ધર્મશાળા આવેલી છે આ ધર્મશાળા ના અંદરના ભાગમાં રહેણાક વિસ્તાર આવેલો છે આ રહેણાક વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકોને ભાડે આપવામાં આવતા પરંતુ હાલ આ રહેણાંકના મકાનમાં કોઈ રહેતું ન હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ જાણવા મળતી વિગત મુજબ આ બિલ્ડીંગ માં મધ્યમ વર્ગ ના વિવિધ લોકો રહેતા હતા તેમનો કબજો હજુ ભાડુઆત પાસે હોવાનું જાણવા મળેલ છે ત્યારે ગત મોડી રાત્રીના અરસામાં આવેલ આ બિલ્ડીંગ જે જવાહર રોડ પર આવેલ તે જે બિલ્ડીંગ માં ઉપરના ભાગ અચાનક જ ધરાશય થવા પામેલ જોકે મોડી રાત્રીની ઘટના હોવાથી કોઈ ગંભીર ઘટના બનવા પામેલ નથી પરંતુ જોદિવસના આ ઘટના બની હોત તો ગંભીર નુકસાની થવા પામત ત્યારે આ બિલ્ડીંગ 100 વર્ષ જૂનું હોય ત્યારે આ બિલ્ડીંગ ટ્રસ્ટીઓ દ્વારા એક જાહેર બોર્ડ પણ મારવામાં આવેલ છે કે આ વિસ્તારમાં ઉભા ના રહેવું નહીં અથવા આ વિસ્તારમાં પસાર થવું નહીં અને આ બિલ્ડીંગ ગમે ત્યારે પડી શકે છે

તો આવી સૂચનાઓ લખવાનો શું ફાયદો જો બિલ્ડીંગ બિસ્માર હોય તો આ ટ્રસ્ટીઓ દ્વારા આ બિલ્ડીંગ વહેલી તકે પાડી નાખવામાં આવે તો નુકશાની ના થાય તાજેતરમાં જ આવી ઘટના જુનાગઢ ખાતે બનેલી અને કેટલાય લોકો ઈજા ગ્રસ્ત થયેલા અને ઘણા લોકોએ જાન પણ ગુમાવેલી ત્યારે જુનાગઢ જેવી ઘટના ન બને તેવું રાજુલા શહેરના શહેરીજનો રહ્યા છે ત્યારે આ ટ્રસ્ટીઓ દ્વારા આ બિલ્ડીંગ નું કા તો સમારકામ કરવામાં આવે અથવા આ બિલ્ડીંગ ને પાડી નાખવામાં આવે તેવું રાજુલા ના શહેરી જનો ઈચ્છી રહીયા છે …









