JUNAGADHVANTHALI

ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વંથલીના વાડલાના ગ્રામજનોનો આવકાર

૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનતા ગ્રામજનો
ભરત બોરીચા – જૂનાગઢ
વાત્સલ્યમ્ સમાચાર
જૂનાગઢ : વંથલીના વાડલા ગામે ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ સાથે ગ્રામજનોને કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ પ્રાથમિક હેલ્થ ચેકઅપનો પણ લાભ લીધો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું અને આગેવાનો- અધિકારીઓનું કુમારીકા બાળાઓએ કુમકુમ તિલક કરી વાડલા ગામમાં આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એચ.આર. વાઘેલાએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામજનોને યથાયોગ્ય યોગદાન આપવા અનુરોધ કરતા કહ્યું કે, ભારત દેશ વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે યુવાનો સમય શક્તિને વેડફે નહીં અને પોતાના કુટુંબ, ગામ અને દેશના વિકાસ માટે પ્રતિબદ્ધ બને. નાના મોટા મતભેદોને બાજુ પર મૂકીને ગામના દેશના વિકાસ માટે પ્રવૃત્તિ બનીએ. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય સ્થળના આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પોષણ યોજના હેઠળની માતૃશક્તિ કીટ સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૯૦ ટકા સરકારના અને ૧૦ ટકા ગ્રામજનોના સહયોગથી નલ સે જલ યોજના વાડલા હેઠળ પીવાના પાણીની સુવિધા માટે જન ભાગીદારીથી નિર્માણ પામેલ આ સુવિધા માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આ તકે જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવાથી પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા કેન્દ્ર-રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ૨૦૪૭ સુધીમાં ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ  બન્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારત વિકસિત વિકસિત સંકલ્પ યાત્રા જૂનાગઢ જિલ્લામાં ગામે ગામ ફરી રહી છે, આ સાથે કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી રહી છે.
આ તકે વિસ્તરણ અધિકારી એમ. જે. બાંભણિયા, મેડિકલ ઓફિસર નીતિન ચોવટીયા પ્રાથમિક શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ ભાલોડીયા, ગ્રામ આગેવાન અશોકભાઈ ભાલોડીયા સહિત જુદા જુદા વિભાગના કર્મચારીઓને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button