જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧૩માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગર પાલિકા દ્વારા જન હિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જન જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અદિતિ નગર ગરબી ચોક પાસે, મધુરમ રોડ ખાતે યોજાયો.
જેમાં રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા કુમ કુમ તિલકથી કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમ કુંમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ મિલેટ્સ દ્વારા મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સવાઁગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી.
ત્યાર બાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેજ પરથી સરકારની પી.એમ.સ્વનિધિ.ઉજ્જ્વલા, પી.એમ.વિશ્વકર્મા, પી.એમ.ઉજ્જવલા, પી.એમ.મુદ્રાલોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-સ્ટેન્ડઅપ ઇન્ડિયા, પી.એમ. આવાસ યોજના (અર્બન), આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા.ત્યાર બાદ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપે રજુ કરી હતી.
ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સરકારની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી.આ તકે કોર્પોરેટર ધરમણ ભાઈ ડાંગર, વાલભાઈ આમછેડા, શારદાબેન પુરોહિત, ભાનુમતી બેન ટાંક, પ્રોગ્રામ ઓફિસર ડીઝાસ્ટર યકીન શિવાણી, સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, વોર્ડ પ્રભારી હરેશભાઈ જોધાણી, સેનિટેશન સુપરવાઈઝર ધર્મેશભાઈ ચુડાસમા તેમજ અધિકારીશઓ / કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.