JAMNAGAR

“જાડા” સહિત અમુક સરકારી કચેરીઓમાં “નકામા”સીવીલ ઇજનેર સહીત “બહારના લોકો”ની જમાવટ

“જાડા” સહિત અમુક સરકારી કચેરીઓમાં “નકામા”સીવીલ ઇજનેર સહીત “બહારના લોકો”ની જમાવટ

જાડામા હજુ ઘણા દાઝશે?? ઝોન ફેર સામે કોર્ટમા કેસ થતા બધી મહેનત અને “વહેંચણી” ફેલ ગઇ? જામનગર-સુરત-ગાંધીનગરને સાંકળતુ પ્રકરણ થશે

સરકારી કચેરીઓમાં
એજન્ટ-દલાલ પ્રથા બંધ છે–જામનગર કલેક્ટરનુ જાહેરનામુ છે છતાય…..કોર્પોરેશન–રેશનકાર્ડ ઝોનલ ઓફીસ-પુરવઠા -સિવિક સેન્ટર-જમીન ને લગત શાખા અને કચેરીઓમા મળી અમુક કચેરીઓમા સાયબો ના “માનીતા” ” પાળીતા” ફરે છે તે કોણ છે??

લોકવિચાર મંચ ના ધ્યાનમા આવી સરકારી કચેરીઓની રેઢીયાળપણાની અનેક બાબતો

લોકોની અરજીઓ કામના નિકાલ ની સમય મર્યાદા નથી-યુનિફોર્મ નથી-આઉટસોર્સ ઉપર તાગડ ધીન્ના-કહેવાતી બદલીઓ કરી સંતોષ માનતુ તંત્ર બાદમા છાને ખુણે ચાર્જ સોંપી બલ્લે…બલ્લે

કોન્ટ્રાક્ટ ઉપર મામકા ને જ લેવાય ( એ ય પાછા કામ કરવુ હોય તો જ કરે)પાંડવા પગ ઘસે–કહેવાતી પારદર્શીતા ને સંવેદનશીલતાઓ ક્યા

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ “જાડા”ના ચેરમેન ની રાતોરાત બદલી થયા બાદ નુ કચેરીનુ ચિત્ર વિચિત્ર જોવા મળે છે જો કે ચેરમેન મા ખરાડી હતા તો ય કઇ ભલીવાર તો ખાસ નહોતો પણ નવા ચેરમેન નો તો કઇ દાબ જ ન હોય તેમ ગમે તે વ્યક્તિ જાડા કચેરીમા આટા મારે દાખલા તરીકે સીવીલ ઇજનેર પંડ્યા….જે એકપણ પ્રકારે નોકરી ઉપર નથી તોય જાડા ની ઓફીસમા બેસે પણ સિવિલ હેડ ની અધીકૃત ઓફીસ મા બેસે ને ફાંકા ફોજદારી કરે છે પોતે પાછા પારદર્શી હોવાનુ જેટકો અને જાડા મા અજોડ અભિનય કર્યા છે એ લોકો જાણે છે હવે આ ભાઇ અને બીજા શુ કામ આવે છે તેની મુખ્ય કારોબારી અધીકારી તપાસ પણ કરતા નથી…!! કેમ ભાઇ સરકારશ્રીના કઇ લાગતા વળગતા છે?? પંડ્યાજી ( આમની કાર્યશૈલી ની વિગતો બહાર આવી રહી છે અને ગ્રાન્ટ ના નાણા ના મોટા ખર્ચ બતાવી પોતાના સહિત દરેક ને “લાભ” મળે તે રીતે વિકાસ કામો કરવામા નિષ્ણાંત જાડા ના સીવીલ વાળા પંડ્યા વિશે અમુક સ્ફોટક વિગત હજુ મળશે જેમા કોક કોક ચેરમેન અને સી.ઇ.ઓ. પણ સંડોવાયેલા હશે?? હશે તો હશે?? બધુ અવી જ રહ્યુ છે ધીમે ધીમે પ્રકાશમા જે શેતરંજી ની જેમ ઘણાને ખેચશે તેની ખાત્રી માહિતી આપનારે આપી છે

હવે આ માત્ર દાખલો છે આવુ અમુક અમુક ઘણી કચેરીઓમા જોવા મળે છે માટે લોકવિચાર મંચ ના
પ્રમુખ સહદેવ મકવાણા અને મંત્રી કિશોરભાઈ મજીઠીયા એ , રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર ને લખી નકલ રવાના મારફત:- જીલ્લા કલેકટરશ્રી જામનગર કર્યુ છે જેમા સરકારી કચેરીઓના વ્યક્તિગત કેસના બદલે જનરલ સનસનીખેજ ચિતાર અપાયો છે

,

લોકવિચાર મંચના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તક / હેઠળ આવતી તમામ પ્રકારની સરકારી – અર્ધ સરકારી કચેરીમાં ઘણી વખત કચેરીમાં ફરજ ન બજાવતા હોય તેવી વ્યક્તિઓ કચેરીની ખુરશી પર બેસેલી જોવા મળે છે. તેમજ અમુક સમયે આવી વ્યક્તિઓ અધિકારી હોવાનો રોફ જમાવતા હોવાની લોક ફરિયાદો સંભાળવામાં આવે છે. આવી વયક્તિઓ અમુક જગ્યાએ કામ માટે આવનાર લોકો સાથે ઘણીવાર કચેરીના કામના વહીવટ કરતા પણ જોવા મળે છે, જે ખુબ ગંભીર બાબત જણાય આવે છે, આ સિવાય આવી વ્યક્તિઓ જે તે ઓફિસની ! કચેરીની ખુરશી પર બેસવાના લીધે પોતાને સરકારી કર્મચારી તરીકે ઓળખાવી ઓફિસમાં તેમજ ઓફીસ બારે પણ લોકોનો વહીવટી । વેપારી રીતે લાભ લેતા હોવાનું પણ લોકમુખે સંભાળવા મળે છે.

આથી આવા વ્યક્તિઓ સરકારી કચેરીમાં કામ માટે આવનાર લોકોનો ખોટો લાભ ન લે અને કામ માટે આવનાર લોકો હેરાન ખોટી રીતે હેરાન ન થાય તે માટે ગુજરાત રાજ્યમાં આવેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીમાં દરેક ક્લાસના કાયમી અને કોન્ટ્રકટ બેઝના કર્મચારી દરેક માટે અલગ – અલગ ડ્રેસ તેમજ દરેક માટે લોકોને દેખાય એ રીતે કર્મચારીના ફોટા અને હોદા સાથેનું આઈડી કાર્ડ પહેરવાનું ફરજીયાત બનાવવામાં આવે સાથોસાથ ડ્રેસ અને આઈડી કાર્ડ વિના આવનારને કર્મચારીને શિક્ષા । દંડિત કરવામાં આવે એ જરૂરી જણાય છે. કચેરીના કામના કલાકો દરમ્યાન ફોનમાં ઓછી વાત કરવા સુચન કરવામાં આવે. તેમજ આવી બાબતની ફરિયાદ કરવા માટે મોબાઈલ એપ બનાવવામાં આવે જેમાં લોકો આવા કર્મચારી કે બની બેઠેલા કર્મચારીનો ફોટો – વિડીઓ અપલોડ કરી શકે જેથી નિયમ મુજબ તેના સામે ખાતાકીય કામગીરી કરી શિક્ષા/દંડ ની અમલવારી કરી શકાય.તેમજ, ઘણી બધી કચેરીમાં કામ માટે આવનાર લોકો માટે અપૂરતી અથવા તો બેઠક વ્યવસ્થા નથી તે અંગે તત્કાલ ચોગ્ય વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવેઆથી અમો સંસ્થાની વિશાળ લોકોહીતમાં અરજ છે કે ઉપરોક્ત પ્રકારની કામગીરીના લીધે કામ માટે આવનાર લોકોને સરકારની કચેરી અને કામગીરી પ્રત્યે અણગમો ઉભો થાય છે. માટે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી માતાર્તિક આપના સ્તરે આ બાબતે લગત વિભાગને જરૂરી આદેશ કરી જલ્દીથી જલ્દી આદેશની અમલવારી કરાવવામાં આવે તે ખુબજ જરૂરી જણાય આવે છે.આ લોકવિચાર મંચમાંસંગઠન મંત્રી – કિશોરસિંહ જાડેજા, નીલ મજીઠીયા, સભ્ય, કાંતિલાલ મકવાણા, અતુલભાઇ ભીંડી, અમૃતભાઈ ગાઘેર, ભરતભાઈ ગૌરી, વિક્રમસિહ સોલંકી, રાજુભાઈ ગૌરી, રાજભા જાડેજા, શૈલેષભાઇ જોષી, મનીષભાઈ રાયચા, રાજેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ઝાલા નિલ ઝાલા, સનતભાઈ મકવાણા, પુનિત ખંઢેરીયા, રાજુભાઈ રાડિયા, મહેશભાઈ મહેતા, મુકેશભાઈ મહેતા, નીલેશ સોલંકી, પ્રાગજીભાઈ નાવિયાણી, ભરતભાઈ મેતા, જીમ્મીભાઈ ભરાડ. હસમુખભાઈ ગોહિલ, બિસ્કુભાઈ કનખરા, જયસુખભાઇ નકુમ, જયેશ મકવાણા, તુલસીભાઈ મકવાણા. નો સમાવેશ થાય છે

@______________________

મોટા ઉપાડે જાડા એ ઝોન ચેન્જ તો કર્યો પણ……….

જામનગરમા ખુબ ગાજેલુ જાડા ઝોન પ્રકરણ હજુ પણ શાંત થયુ નથી પરંતુ સુરત અને ગાંધીનગર થી જામનગરને સાંકળતુ અને ઉપરથી “ફોન” આવેલા છતા બે પદાધીકારીઓ આડા ફાટેલા બાદમા શામ દામ દંડ ભેદ થી માની ગયા બાદમા બીજી વખત સામાન્ય સભા મા આવેલા જુદા જુદા ત્રણ ઝોન ચેન્જના પ્રકરણો ના ઠરાવ જામ્યા નહી માટે સરકારે પોતાની સતા વાપરી કેમકે મોટા માથાઓ જેઓ અગાઉના એક નાણામંત્રી જેમને ગામે ગામ મોરાની જમીન ખેતરો ઘણા છે તેમની મુજબ જમીનદાર થવાના બે ત્રન નેતા એક બે મંત્રીને અભરખા જાગ્યા ની ચર્ચા છે અથવા જમીન હેતુ બદલી મલાઇ ખાવાના ઓરતા છે તે દરેક એ મળી જામનગર દરેડ વગેરે ની જમીનોના ઝોન ચેન્જ આવા હેતુ ઓ માટે કરાવ્યાની ચર્ચા છે જો કે સત્ય કોને ખબર?? માટે આવા આક્ષેપની ચર્ચા થાય જ એ સ્વાભાવિક છે જેમા બે અધીકારીઓ પણ સામેલ છે હવે સાચુ ખોટુ તો કરનારા જાણે તે દરમ્યાન ફણગો ઇ ફુટ્યો કે દરેડ વિસચતારની ખુબ મોટી જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોન થઇ તેની સામે ચેલાના જનપ્રતિનિધી કોર્ટમા ગયા હોઇ મહા મહેનતે થયેલ ઝોન ચેન્જ ના અમલ હાલ અટકી ગયા છે બીજી તરફ જાણકારો મજાક કરે છે કે ભાગ બટાઇ લાભ મલાઇ તોષણ અવેજ વગેરેના આદાન પ્રદાન થયા હશે તે હિસાબ કિતાબ હવે કેમ થશે?? ઝઘડા થશે કે શું??

@_______________________

સરકારી કચેરીઓ અમુક તો તોબા….ક્યાક પટ્ટાવાળા હોલ એન્ડ સોલ ક્યાંક “નીચેનો”ઇજનેર નીચેથી ઉપર ચેનલ ચડાવે( સિંચાઇ વગેરે કચેરીઓ) ક્યાંક દસ્તાવેજ એન્ટ્રી જમીન ટાઇટલ માટે ડાયરેક્ટ અરજદાર “નોટ એલાઉડ”….લે…બોલ…………

જામનગર જિલ્લાની અમુક સરકારી કચેરીઓની લાલિયા વાડી જલસા જમાવટ ટેસડા જંગી નફો વગેરે પ્રસિદ્ધ છે બલકે કુખ્યાત છે અને પારદર્શી સંવેદનાસભર વહીવટ ની વાત કરનાર યોજના મા પુરેપુરો રૂપીયો વપરાય છે તેવુ કહેનારાઓ કેનાલો રોડ પુલ બાંધકામ પાઇપલાઇન વગેરેના સ્પેશીફીકેશન સાથે મંજુર ખર્ચ સાથે કામો સરખાવો અને વારે વારે બોલતા શરમાવ કે અરજદારો પ્રત્યે સહાનુભૂતિ પુર્વક વર્તન કરો…..કેમકે ઘણા ચોખ્ખુ જ કહે છે કે નિયમ મુજબ કામ કરવા જઇએ તો કઇ વધતુ નથી ઘણાને દેવુ પડે છે …….બોલો

હવે મુળવાત “જાડા” સહિત અમુક સરકારી કચેરીઓમાં “નકામા”સીવીલ ઇજનેર સહીત “બહારના લોકો”ની જમાવટછેજાડામા હજુ ઘણા દાઝશે?? ઝોન ફેર સામે કોર્ટમા કેસ થતા બધી મહેનત અને “વહેંચણી” ફેલ ગઇ? જામનગર-સુરત-ગાંધીનગરને સાંકળતુ પ્રકરણ થશે

સરકારી કચેરીઓમાંએજન્ટ-દલાલ પ્રથા બંધ છે–જામનગર કલેક્ટરનુ જાહેરનામુ છે છતાય…..કોર્પોરેશન–રેશનકાર્ડ ઝોનલ ઓફીસ-પુરવઠા -સિવિક સેન્ટર-જમીન ને લગત શાખા અને કચેરીઓમા મળી અમુક કચેરીઓમા સાયબો ના “માનીતા” ” પાળીતા” ફરે છે તે કોણ છે??લોકવિચાર મંચ ના ધ્યાનમા આવી સરકારી કચેરીઓની રેઢીયાળપણાની અનેક બાબતો
લોકોની અરજીઓ કામના નિકાલ ની સમય મર્યાદા નથી-યુનિફોર્મ નથી-આઉટસોર્સ ઉપર તાગડ ધીન્ના-કહેવાતી બદલીઓ કરી સંતોષ માનતુ તંત્ર બાદમા છાને ખુણે ચાર્જ સોંપી બલ્લે…બલ્લે
કોન્ટ્રાક્ટ ઉપર મામકા ને જ લેવાય ( એ ય પાછા કામ કરવુ હોય તો જ કરે)પાંડવા પગ ઘસે–કહેવાતી પારદર્શીતા ને સંવેદનશીલતાઓ ક્યા છે??

@_______________________

B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

[wptube id="1252022"]
Back to top button