KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મા ઉત્તરાયણ ની ધૂમધામ સાથે ઉજવણી. દાન, પૂણ્ય નો પણ ધોધ વરસાવતા નગરજનો.

તારીખ ૧૭ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ઉત્તરાયાણના દિવસે સમગ્ર ગુજરાતમાં પતંગોનું અનેરું મહત્વ રહેલું છે અને હીન્દુ ધર્મના માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતું પુણ્ય બે ગણું મળતું હોવાથી આ દિવસે વધુ દાન કરવામાં આવે છે અને હીન્દુ ધર્મમાં તેનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને ગાયને ઘાસચારો કે અનાજ ખવડાવવામાં આવે છે અને આ દિવસે નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધ મકાનની છત પર ચડીને ઘરના બધા સદસ્યો મળીને તહેવારની ઉજવણી કરતાં હોય છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે અને રવિવારે કાલોલ સહિત પંથકમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો ધાબા ઉપર ડી. જે.,ની ધૂન સાથે રંગબેરંગી પતંગો થી આકાશ છવાઈ ગયુ હતું યુવાધન અવનવા ટોપા પહેરી સવારથી જ ધાબા પર ચઢી ગયા હતા અને “કાઈપો છે, એ ગઈ..એ લપેટ, ની બૂમો થી વાતાવરણ ઉભરાઈ ગયું હતું. જલેબી, ઉંધીયુ, ફાફડા, ની ધૂમ ખરીદી નગરજનો એ કરી હતી તલ ગોળ ના લાડુ અને ચક્કી ની જયાફત માણી હતી.

[wptube id="1252022"]
Back to top button