અંકલેશ્વર ઓ.એન.જી.સી ઓવર બ્રિજ રીપેરીંગ માટે તા ૨૦ એપ્રિલ થી ૪ મે સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. કુલ-૧૫ દિવસ માટે સદર રસ્તો બંધ

???? *IMPORTANT*
અંકલેશ્વર ઓ.એન.જી.સી ઓવર બ્રિજ રીપેરીંગ માટે તા ૨૦ એપ્રિલ થી ૪ મે સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
- કુલ-૧૫ દિવસ માટે સદર રસ્તો બંધ
વૈકલ્પિક વ્યવસ્થા
૧) ભરૂચ થી સુરત વાયા અંકલેશ્વર થઈને જવા માટે ગડખોલ સુરવાડી ફાટક રેલ્વે ઓવર બ્રિજ ઉપર થઈ ચૌટા નાકા થી જીનવાલા હાઈસ્કુલના પીરામણ ગામ થઈ હવા મહેલથી વાલીયા ચોકડી તરફ નાના વાહનો પસાર થઈ શકશે.
2 ) સુરત થી ભરૂચ વાયા અંકલેશ્વર થઈને જવા માટે એન.એચ.૪૮ ના અંકલેશ્વર તરફના સર્વીસ રોડ પર થઈ હવા મહેલ થી પીરામણ ગામથી જીનવાલા હાઈસ્કુલ નાકા થઈ ચૌટા નાકાથી ગડખોલ સુરવાડી ફાટક રેલ્વે ઓવરબ્રીજ પર થઈને નાના વાહન માટે ડાયવર્ટ કરી શકાશે.
મોટા ભારદારી વાહનો ને.હા.૪૮ ઉપરથી માંડવા ગામ થઈ ગડખોલ રોડ ઉપરથી સુરવાડી બ્રીજ ચડીને અંકલેશ્વર શહેરમાં રાત્રીના કલાક ૨૩/૦૦ થી સવારના કલાક ૦૪/૦૦ સુધી પસાર થઈ શકશે.

વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા








