DEVBHOOMI DWARKAKHAMBHALIYA
Khambhaliya : ખંભાળિયા બસ સ્ટેશન ખાતે મહાનુભાવો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
જેના ભાગરૂપે આજરોજ જામ-ખંભાળિયા બસ સ્ટેશન ખાતે મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








