RAMESH SAVANI

‘મારા ઘેર ઈદ ઊજવાતી, મુસ્લિમોના ઘેર સેવૈયા ખાતો !’ તો પછી આટલી નમકહરામી કેમ?

1973માં, પ્રસિદ્ધ ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘નમકહામ’ આવી હતી. તેમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રેખા વગેરે કલાકારો હતા. નમકહરામ એટલે જેનું અનાજ ખાધું હોય તેનો દ્રોહ કરવો ! કૃતઘ્ન. બેવફા.
ગુજરાત સમાચારે 15 મે 2024ના રોજ પ્રથમ પેજ પર સમાચાર ચમકાવ્યા છે. આઠ કોલમમાં શીર્ષક છે : ‘‘મારા ઘેર ઈદ ઊજવાતી, મુસ્લિમોના ઘેર સેવૈયા ખાતો : મોદી !’ સવાલ એ થાય કે નાનપણમાં મોદીજીના ઘરમાં ઈદ ઊજવાતી હોય; મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો મુસ્લિમો પ્રત્યે હદ બહારની નફરત/ ધૃણા/ તિરસ્કાર શામાટે? ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૂત્ર આપેલ કે ‘હમ પાંચ હમારે પચ્ચીસ !’ મતલબ કે એક મુસ્લિમને ચાર પત્નીઓ અને તેમના 25 સંતાનો ! આ સૂત્ર મુસ્લિમ સમુદાયની બદનક્ષી કરનારું/ અપમાન કરનારું હતું ! ‘મીયાં મુશરફ ! મીયાં મુશરફ !’ કહીને મુસ્લિમ સમુદાયને કોથળામાં પાંચ શેરીથી ફટકારતા હતા ! લોકસભા ચૂંટણી-2024ના પ્રચાર દરમિયાન તો વડાપ્રધાને હદ કરી નાખી ! તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર આંચકીને મુસ્લિમોને વહેંચી દેશે ! કોંગ્રેસ તમારી બે ભેંસમાંથી એક ભેંસ છીનવી લેશે ! કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવીને જાજા બાળકો વાળાને અને ઘૂસપેઠિયાઓને વહેંચી દેશે !’ વડાપ્રધાન કોંગ્રેસની રીમાન્ડ લે તેની સામે વાંઘો ન હોય, પરંતુ તે માટે મુસ્લિમ સમુદાય પ્રત્યે શામાટે નફરત પેદા કરવી જોઈએ? મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તે ભૂલી જવાનું? આટલી નમકહરામી કેમ?
શું મુસ્લિમ નફરત પર જ વડાપ્રધાનની/ RSSની રાજનીતિ વિકસિત થઈ નથી? બિલ્કીસ બાનોની બાળકી તથા તેમના કુટુંબીજનોની સામૂહિક હત્યા કરનારા/ બળાત્કારીઓને જેલમુક્ત કર્યા અને ફૂલહાર-તિલકથી સ્વાગત થયું ત્યારે જો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો બોલે નહીં? 2002ના કોમી તોફાનોમાં ગુજરાતમાં 2000 નિર્દોષ લોકોની હત્યાઓ થઈ, તેમાં મોટાભાગના મુસ્લિમો હતા; જો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો આવી હત્યાઓ થવા દે? મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી OBC/દલિત/આદિવાસીઓ પાસે મુસ્લિમોની હત્યાઓ કરાવી તેમને જેલમાં પૂરી પોતે સત્તાના સિંહાસને ચડી ગયા ! હવે કહે છે કે હું તો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાતો હતો !
ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે; તેમના મત લેવા વડાપ્રધાન સેવૈયાનું જૂઠ મુસ્લિમો પીરસે છે ! 4 જૂન 2024ના રોજ, લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે; મોદીજી ફરી વડાપ્રધાન બનશે તો મુસ્લિમોએ ધૃણા સહન કરવા તૈયાર રહેવાનું છે ! ફરી મુસ્લિમોને ઘૂસપેઠિયા કહેશે ! ફરી મુસ્લિમોને જાજા બાળકો વાળા કહેશે ! ફરી ‘હમ પાંચ હમારે પચ્ચીસ’ કહીને મુસ્લિમોની ઠેકડી ઉડાડશે ! ચેતવાની જરુર છે મુસ્લિમોએ અને ભક્તોએ ! ક્યારે કાચીંડો રંગ બદલે તેની આગાહી થઈ શકે તેમ નથી !rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button