JETPURRAJKOT

નગર રચના યોજના નં-૧૩(કોઠારીયા)અંગેના વાંધા-સૂચનો રજૂ કરી શકાશે

તા.૨૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટની નગર રચના યોજના નં-૧૩(કોઠારીયા) ના નગર રચના અધિકારીશ્રી એલ.આર.શેઠએ જે-તે પ્લોટ માટે લીધેલ નિર્ણયોના ઉતારા ફોર્મ ‘‘ડ’’ ની નકલ આ યોજનામાં સમાવિષ્ટ સંબંધિત જમીન માલિક/હિત સંબંધ ધરાવતી વ્યકિતને મોકલવામાં આવી રહેલ છે. આ નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ કે આ નિર્ણય સ્વીકાર્ય ન હોય તેવી હિત/સંબંધ ધરાવતી વ્યક્તિઓ/માલિકોએ આ ઉતારાની નકલ મળ્યાના એક મહિનામાં અપીલને પાત્ર ઉતારા અંગે રાજયકક્ષાના બોર્ડ ઓફ અપીલના અધ્યક્ષશ્રી, મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કુલની સામે, ચ-૩ ક્રોસ રોડ, સેકટર ૧૦ એ, ગાંધીનગરને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ લગાવી ૩ નકલમાં લેખિતમાં વાંધા અંગેની રજૂઆત મોકલી આપવાની રહેશે.

આ આખરી યોજનાની એક નકલ, તમામ માહિતી, નિર્ણયો અને નકશાઓ સાથે રજાના દિવસો સિવાયના તમામ દિવસોએ કચેરી સમય દરમ્યાન નગર રચના અધિકારીશ્રીની કચેરી, નગર રચના અધિકારી, નગર નિયોજક-૨, રાજકોટ નગર રચના યોજના-રાજકોટ, આર.એમ.સી.મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે જોઇ શકાશે, આ યોજના સમજાવવા માટે જરૂરી વ્યવસ્થા પણ ઓફિસ ખાતે કરવામાં આવી છે, જેનો સંબંધિતોએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button