JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧,૨,૩,૪,૫,૬,૭ અને ૧૩ના શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧,૨,૩,૪,૫,૬,૭ અને ૧૩ના શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી “સેવા સેતુ” કાર્યક્રમ નવમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા,જુનાગઢના સંયુકત ઉપક્રમે શહેરના વોર્ડ નં.૧,૨,૩,૪,૫,૬,૭ અને ૧૩ ની જાહેર જનતા માટે સેવાસેતુનો કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા, કોર્પોરેટર હિમાંશુભાઈપંડયા, શાંતાબેન મોકરિયા, મામલતદાર ત્રિવેદી સાહેબ, મેડીકલ ઓફિસર ડો.ચંદ્રેશભાઈ વ્યાસ, આસી.કમિશનર જયેશ.પી.વાજા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, ઈલે.ઈજનેર હાજાભાઇ ચુડાસમા, વોર્ડ પ્રમુખ લખનભાઈ કોટક, ઉપાધ્યક્ષ જે.કે.કણસાગરા તેમજ ઓફીસ સુપ્રી. જીગ્નેશભાઈ પરમાર, અધિકારી/કર્મચારી અને શહેરીજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.
આ તકે ધરાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારની સુચના તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સરકારની વિવિધ વિભાગોની જેવા કે જીલ્લા વહીવટી તંત્ર,જીલ્લા પંચાયત અને મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા ૧૩ વિભાગોની ૬૧ પ્રકારની યોજનાઓનો લાભ પ્રજાને એક જ સ્થળેથી મળી રહ્યો છે.સરકાર પ્રજાના દ્વારે છે. ત્યારે આ યોજનાનો લાભ વધુ માં વધુ શહેરીજનો મેળવે તેમજ આજે લાભ મેળવનાર શહેરીજનો અન્ય લોકોને આ આયોજનનો પ્રચાર પ્રસાર કરે અને તમામ લોકોને લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.
રાજય સરકાર ધ્વારા પારદર્શક,સંવેદનશીલ,વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેકવિધ યોજનાઓ,સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ રર સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે.સરકારનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૬૧ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી. નિગમ ધ્વારા માસીક પાસ તથા ઓનલાઈન રીર્ઝવેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ છે, તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો ધ્વારા જુદા-જુદા વિભાગોની કુલ ૨૩૦૫ અરજી કરવામાં આવેલ, જેમાંથી ૨૩૦૫ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ.
આ તકે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વીહળ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button