BHARUCHVALIA

વાલીયા:પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે વૈદિક હોળી જલાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે વૈદિક હોળી નુ આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ અત્રેની પ્રાથમિક શાળા વાગલખોડ તાલુકા વાલીયા જિ.ભરૂચ ખાતે વૈદિક હોળી જલાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વાગલખોડ શાળાના શિક્ષક શ્રી કાલિદાસ ઝવેરભાઈ રોહિતે વૈદિક હોળી ના પ્રચાર પ્રસાર માટે ગામમાં બાળકો સાથે બેનર ગાયના છાણા કેસુડા નો કલર લઈ સૂત્રોચાર સાથે વૃક્ષ બચાવો વૈદિક હોળી જલાવો વૃક્ષ માનવ માટે જીવન છે તેથી વૃક્ષનું છેદન અટકાવો અને તેના માટે ગાયના છાણામાંથી હોળી જલાઓ ગાયનું ઘી નાખો પર્યાવરણ શુદ્ધ કરો ધુળેટીના દિવસે કેશુડાના રંગથી કલર છાંટો કેમિકલના રંગોથી દૂર રહો જંગલો ઓછા થયા છે વૃક્ષો ઓછા થયા છે ત્યારે આપણે પર્યાવરણ ની જાળવણી કરી વૃક્ષોનું જતન કરવું જોઈએ હોળી દહનમાં લાકડાનો વધારે ઉપયોગ થવાથી વૃક્ષોનું ઘણું છેદન થાય છે તે બચાવવા આપણે ગામમાં વૈદિક હોળી સળગાવી જોઈએ આમ શાળાના હાજર શ્રી કાલિદાસ હોય તે ગામમાં રેલી કડી ગામ લોકોને સમજાવી વૈદિક હોળીની પત્રિકા છપાવી ગામમાં વહેંચી હતી ત્યારબાદ સરપંચ શ્રી કમળાબેન અને નિલેશભાઈએ ગામના સરપંચ શ્રી એ જણાવ્યું હતું કે આ ગામની વાગલખોડની હોળીમાં અમે ગાયના છાણા અને મારા તરફથી ગાયનું ઘી વાપરીશું એમ સરપંચ શ્રી એ જણાવ્યું હતું અને વૈદિક હોળીમાં સુંદર સહકાર આપ્યો હતો જશુબેનને બાળકોને કેમિકલ રંગોથી નહીં રમવા જણાવ્યું હતું શાળાના શિક્ષકો લતાબેન વિનાબેન લક્ષ્મીબેનમધ્યમ ભોજન સંચાલક પ્રેમીલાબેન કાર્યક્રમમાં ભાગ લીધો હતો શાળાએન્જલ બેન પુંજાબેન કશીશબેન પ્રિયંકાબેન અર્ચનાબેન પ્રિયાસી બેન પંચાયતના બાળકો પણ રેલીમાં ભાગ લઈ સૂત્રોચાર કર્યો હતો કે વૈદિક હોળી જ લોવો વૃક્ષ બચાવો વૈદિક હોળીનો સુંદર કાર્યક્રમ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી કાલિદાસ રોહિત દ્વારા આયોજન થયું હતું

રિપોર્ટર, સતિષભાઈ દેશમુખ

[wptube id="1252022"]
Back to top button