બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા 31મી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023નું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા 31મી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023નું આયોજન કરવામાં આવેલ છે. જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા 30 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ વર્ષે પણ આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ ની સમજણ રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ થી બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમશીયાઓ નું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા આ પ્રોજેક્ટ કરવા માં આવે છે જેમની જિલ્લા કક્ષા ની સ્પર્ધા તારીખ:- 30/09/23 ને શનિવાર ના રોજ સવારે 9:00 કલાકે સ્વામી વિવેકાનંદ હોલ ,બહાદીન સાયન્સ કોલેજ,નું જૂનાગઢ ખાતે યોજાનાર છે તો રજીટ્રેશન થયેલ શાળાઓ ના વિદ્યાર્થીઓ એ સમયસર પોહચવું તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ