NATIONAL

નામીબિયાથી લાવવામાં આવેલ માદા ચિત્તા તબલીશી નું મોત

મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તનું મોત થયું છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા તબલીશીનું મોત થયું છે. બે દિવસથી તેનું લોકેશન ઉપલબ્ધ ન હતું. હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

માદા ચિત્તા તબલીશીને દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી ભારત લાવવામાં આવી હતી. અહીં આવ્યા બાદ માદા ચિતા તબલીશી છેલ્લા કેટલાક દિવસોથી દેખાતી ન હતી, હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં એક પછી એક ચિત્તાઓના મોતથી બધાને આશ્ચર્ય થયું છે. અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ સહીત કુલ 9ના મોત થયા છે. તબલીશીનું મૃત્યુ કેવી રીતે થયું? તેના વિશે હજુ વધુ માહિતી મળી નથી.

કુનો નેશનલ પાર્કમાં કુલ 9 ચિત્તાના મોત બાદ હવે માત્ર 15 ચિત્તા બચ્યા છે. તેમાં એક બચ્ચાનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો માને છે કે કુનો પાર્કમાં ચિત્તાઓના સતત મૃત્યુ એ દેશમાં ચાલી રહેલા પ્રોજેક્ટ ચિતા માટે આંચકો છે. વાસ્તવમાં, પ્રોજેક્ટ ચિતા દ્વારા, દેશમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાની યોજના છે એટલું જ નહીં, સરકારે તેમની વસ્તી વધારવાની યોજના પણ બનાવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આ ચિત્તાઓને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button