શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ દ્વારા ૧૯ મો સમુહલગ્નોત્સવ યોજાયો

2 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચા ઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્ન નું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશય થી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પાટણ-ઊંઝા હાઈવે ઉપર આવેલ હાંસાપુર ખાતે ખોડાભા હોલમાં રાજ્ય સભાના સાંસદસભ્ય દિનેશભાઈ અનાવડીયા (પ્રજાપતિ)ના અધ્યક્ષ સ્થાને ઉદ્દઘાટક પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન (આઈ.એ. એસ.),પ.પૂજ્ય મહંતશ્રી દલસુખરામબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુ શક્તિ નગર હળવદ,પ્રજાપતિ સમાજના બારોટ દિનેશભાઈ ઈશ્વરભાઈ બારોટ વાવ-થરાદની ઉપસ્થિતિ માં શાસ્ત્રી ડૉ.અમિતભાઈ આઈ. આઝા (વેદપાઠી)ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રજાપતિ સમાજનું ગૌરવ સિંગર રેખા પ્રજાપતિના કંઠીલા સ્વરો સાથે કલ્પેશભાઈ એન.પ્રજાપતિ કલ્પેશ વૃંદ પાટણના સંગીતના સુરોવચ્ચે સંવત ૨૦૭૯ ના વૈશાખ સુદ-૧૦ ને રવિવારના રોજ ૧૯ માં સમુહ લગ્નોત્સમા ૩૫ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ત્યારબાદ દાતાઓનો સન્માન સમારોહમાં મંડળના મંત્રી દશરથભાઈ જી.ગુર્જરે (પ્રજાપતિ) શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન,અધ્યક્ષ,તમામ દાતાઓ,અતિથિ વિશેષ,તમામ પરગણાના પ્રમુખ/મંત્રીઓ,વિવિધ મંડળના પ્રમુખ/મંત્રીઓ,યુવા સંગઠન,પાટણ,મહિલા સંગઠન પાટણ,થરા યુવા ટીમ, ઉદ્ઘોષકો, ખોડાભા હોલના ભરતભાઈ પટેલ,ભુપતભાઈ મંડપવાળા, તમામ સ્વયંસવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિબંધુઓનો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ સદાય દરેકના ઋણી રહેશે.સમૂહલગ્નની શોભા વધારી તે બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ વતી આભાર માન્યો હતો.સાંસદ દિનેશભાઈ અનાવડીયા,પાટણ કલેક્ટર અરવિંદ વિજયન,શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ડી. પ્રજાપતિને ફુલહાર પહેરાવી, દેશી ફાળિયું બાંધી,પ્રજાપતિનો ચાકડો તેમજ રાણકીવાવની છબી આપી તથા ભોજન દાતાઓ સ્વ. મંજીરામબાપા પરિવાર અમદાવાદ,સ્વ.ગણેશભાઈ ઓખાભાઈ પ્રજાપતિ પરિવાર કડી,સ્વ.રામજીભાઈ બીજલભાઈ પ્રજાપતિ પરિવાર એકલવા સહિત દરેક દાતાઓ સન્માનીય આગેવાનો આમંત્રિત મહેમાનોને ફુલહાર પહેરાવી સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.ત્યારે પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,કન્વીનર ઉમેશભાઈ વી..પ્રજાપતિ નેકારીયા,ખજાનચી કૃણાલ પી.પ્રજાપતિ,કાંકરેજ પ્રેસરિપોર્ટ નટવર.કે.પ્રજાપતિ થરા,શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ કડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ જી.પ્રજાપતિ,પી.આઈ.એસ.ઓ.જી.પાટણના રાકેશભાઈ ઉનાગર (પ્રજાપતિ) લાઠી-અમરેલી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનકુમાર પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધાનપુરના પ્રમુખ દશરથભાઈ પ્રજાપતિ (ડી.ડી.),શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ,લક્ષમણભાઈ પ્રજાપતિ,જીતાભાઈ પ્રજાપતિ રતનપુરા,મારૂતિ ઓવર્સીસ મહેસાણાના દિલીપભાઈ પી. પ્રજાપતિ,વિરજીભાઈ પ્રજાપતિ, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ જી. પ્રજાપતિ,પૂર્વપ્રમુખ લીલાભાઈ ડી.પ્રજાપતિ,કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી રમેશભાઈ જે. પ્રજાપતિ,આસી.પબ્લિક પ્રોસિક્યુટર બચુભાઈ પ્રજાપતિ મહેસાણા,મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન આર. પ્રજાપતિ,પીનાકીનભાઈ પ્રજાપતિ મહેસાણા,નિમેશભાઈ પ્રજાપતિ મહેસાણા,ભુવાજી દશરથભાઈ સી.પ્રજાપતિ ચાંદલોડીયા,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણના પ્રમુખ સોહનભાઈ જી.પ્રજાપતિ,મંત્રી રાકેશભાઈ એ.પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ મહિલા મંડળ પાટણના પ્રમુખ કિરણબેન એન.પ્રજાપતિ,મંત્રી અંસીતાબેન આર.પ્રજાપતિ,ફોટો ગ્રાફર રાજુભાઈ એમ.પ્રજાપતિ, શિક્ષક મંજીભાઈ પ્રજાપતિ ધધાણા,થરાની યુવા ટીમ ભરતભાઈ દાબેલી,કિશોર ગુરુકૃપા,કિરીટ પ્લમ્બર, મનસુખભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ કે.પ્રજાપતિ, ભીખાભાઈ,લાલાભાઈ પ્રજાપતિ,ભરતભાઈ પ્રજાપતિ,દશરથભાઈ પ્રજાપતિ શિક્ષક સહિત શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કિરીટભાઈ આર. પ્રજાપતિ,મહેશભાઈ આર. પ્રજાપતિ,સોહનકુમાર જી. પ્રજાપતિએ કર્યું હતું.આ અંગેનટવર.કે.પ્રજાપતિ, એ જણાવ્યું હતું.