Uncategorized

દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો

*દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો*

તાહિર મેમણ : 10/02/2024 – ડેડીયાપાડા – આજરોજ દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો હસ્તે ૫ હજાર જેટલા લાભાર્થઓ માટે કુલ રૂ. ૩૩.૪૪ લાખના ખર્ચે ૨૭૮૭ જેટલા આવાસોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.

 

આ કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ વસાવા, સાગબારા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા, ભરૂચ લોકસભાના પ્રભારી યોગેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા શ્રી શંકરભાઈ  વસાવા,  માજી પ્રમુખ નર્મદા જિલ્લા પંચાયત શ્રીમતી પર્યુશાબેન વસાવા, માજી ધારાસભ્યbદેડીયાપાડા મોતીભાઇ વસાવા, નર્મદા પશુ પાલન સમિતિના ચેરમેન શ્રી હિતેષભાઇ વસાવા, નર્મદા બાધકામ સમિતિના ચેરમેન  ખાનાસિગભાઈ વસાવા, નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડ, ડેડિયાપાડા પ્રાંત અધિકારી ધવલ સંગાડા, સાગબારા અને ઇન્ચાર્જ ડેડિયાપાડા મામલતદાર શૈલેષ નિઝામા, સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, ગામડાઓમાંથી પધારેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button