જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.૧માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.૧માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગર પાલિકા દ્વારા જન હિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ શહેરના સ્વામીનારાયણ મંદિર, અરવિંદ પાર્ક, દોલતપરા ખાતે યોજાય.
ત્યારે રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા કુમ કુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી દ્વારા સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું.
જેમાં સ્વાગત પ્રવચન નોડલ ઓફિસર હાજાભાઇ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. શાબ્દિક ઉદબોધન આસી.કમિશનર જયેશ.પી.વાજા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મિલેટ્સ દ્વારા મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું.તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સવાઁગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યાર બાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું.
ત્યાર બાદ સ્ટેજ પરથી સરકારની પી.એમ.સ્વનિધિ.ઉજ્વાલા, પી. એમ. વિશ્વકર્મા, પી.એમ.ઉજ્જવલા, પી.એમ. મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ.આવાસ યોજના (અર્બન) વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા.
ત્યાર બાદ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપે રજુ કરી હતી.
જેમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા સરકારની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી.
આ તકે કોર્પોરેટર શોભનાબેન પીઠીયા, લાભુબેન મોકરિયા, શારદાબેન પુરોહિત, આસી.કમિશનર જયેશ.પી. વાજા,ઈલે.ઈજનેર અને નોડલ ઓફિસર હાજાભાઇ ચુડાસમા, વ્યવસાય વેરા અધિકારી રાજુભાઈ મહેતા, પ્રોજેક્ટ ઓફિસર નિશાબેન ધાંધલ, અગ્રણી ઓમભાઈ રાવલ, નીલેશભાઈ પીઠીયા, ખીમભાઈ મોકરિયા, વોર્ડ પ્રભારી રાજુભાઈ ગણાત્રા તેમજ અધિકારીઓ /કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.