
ગિરનાર પરિક્રમા બાદ જુનાગઢ શહેરમાં દીપડાનો કહેર યથાવત : બે વર્ષના બાળક પર કર્યો હુમલો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં રહેતા સીડા પરિવારનો બે વર્ષીય બાળક ગઈકાલે સાંજે ઘરના ફળિયામાં રમી રહ્યો હતો. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા દીપડાએ બાળકનું માથું પકડી દીવાલ પર ચઢી ગયો હતો. આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા જ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે માતાપિતાએ દીપડાનો સામનો કરતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે, બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
હાલ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતા
માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો
છે. ચાર દિવસ પહેલા પરિક્રમા દરમિયાન
દીપડાએ એક બાળકીને ફાડી ખાધા બાદ હવે જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા
પરિવારનું બે વર્ષનું બાળક ફળિયામાં રમી રહ્યું
હતું, ત્યારે ત્રાટકેલો દીપડો બાળકનું માથું પકડી
ભાગવા લાગ્યો હતો. આ જ સમયે બાળકના
માતાપિતાની નજર પડતા તેઓએ દીપડા સામે
બાથ ભીડી હતી, અને બાળકને છોડાવવાનો
પ્રયાસ કર્યો હતો, જેમાં માતાપિતાને સફળતા
મળી હતી. જો કે, દીપડાની ચુંગાલમાંથી
બાળકને છોડાવતી સમયે બાળકના માથાના
તમામ વાળ ચામડી સાથે નીકળી જતા
બાળકને ગંભીરી ઈજા પહોંચી હતી. હાલ તેને
સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
તેમજ પરિક્રમા દરમિયાન પણ જૂનાગઢમાં દીપડાના હુમલાની ઘટના બની હતી. પરિવાર સાથે પરિક્રમા કરવા આવેલી અમરેલીની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ જૂનાગઢમાં દીપડાના હુમલાની વધુ એક ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વનવિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા વન વિભાગના આરએફઓ મૈયાત્રાએ જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં ચાર પાંજરા રાખવામાં આવ્યા છે, અને હજુ પણ બીજા પાંજરા ગોઠવવામાં આવશે. અને વહેલી તકે આ દીપડાને પકડી પાડવામાં આવશે.