GIR SOMNATHGIR SOMNATH

Somnath : સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ પર્સ નેત્રમ CCTV ઇણાજની મદદથી પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ

નાયબ પોલીસ મહાનિરીક્ષક .નિલેષ જાજડિયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન મુજબ કાર્તિકી પુર્ણિમા મેળા સબબ પ્ર.પાટણ પો.ઇન્સ વી.એ.ચારણ તથા પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એમ.કે.મોવલીયા પો.કોન્સ કૈલાસસિંહ જેસાભાઇ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા પિયુષભાઈ કાનાભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુનીલભાઇ કેશવભાઇ તથા મહેન્દ્રભાઇ બાબુભાઇ વિ.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીક અરવિંદભાઇ જમનાદાશ જરીવાળ રહે સુરત વાળા તેમના પરીવાર સાથે સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ હોય અને સોમનાથ ચાર રસ્તા પાસેથી રોકડા રૂ.૮૦૦૦/- સાથેનુ પર્સ ગુમ થયેલ હોય જે પો.સ્ટે ખાતે આવી હકીકત જણાવતા તુરંત જ ઉપરોકત મુજબનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ અલગ અલગ ટીમ બનાવી નેત્રમ CCTV ઇણાજ ટીમના કેત પી.એસ.આઈ બી.ડી.માવદીયા તથા અન્ય સ્ટાકની મદદથી તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા આ કામના અરજદારનુ રૂ.૮૦૦૦/- સાથે નુ ગુમ થયેલ પર્સ જે અરજદાર ને સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરતી પ્ર.પાટણ પોલીસનો અરજદાર એ આભાર માન્યો હતો

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button