MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસનમુક્તિ અભિયાન યોજાયુ

મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસનમુક્તિ અભિયાન યોજાયુ
આજ રોજ તા ૨૯/10/૨૦૨૩ ના રોજ મોરબીની અગ્રણી સ્વેચ્છિક સંસ્થા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન પ્રથમ ચરણની વિશેષ મીટીંગ નું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે હાલમાં ખાસકરીને મોરબી સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રે તમાકુ અને પાન-માવા ના વ્યસનને લીધે મોઢા અને જડબા તેમજ અન્ય કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દિશામાં મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સામાજીક ચેતનાના ભાગરૂપે મોરબીના અગ્રણી તબીબોની ટીમના સહયોગ થી વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તમાકુના વ્યસનની દુરોગામી અસરો અને તમાકુના વ્યસન છોડવાના ઉપાયો વિષે મોરબીના અગ્રણી તબીબોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ અભિયાનમા વ્યસનમુકિત ના સોગંદ લેવડાવવામા આવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને તમાકુના વ્યસનમાંથી મુક્ત બને તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.

આ અભિયાનની વિશેષતા એ છેકે આ અભિયાનમાં જોડાઈને જેઓ તમાકુનું વ્યસન છોડશે તેઓને કોઈ શારીરિક કે માનસિક તકલીફ થશે તો મોરબીના અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે તેમની સારવાર કરશે અને સારવારનો જો કોઈ ખર્ચ થશે તો તે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખશ્રી ડો,સતીશ પટેલની યાદીમાં જણાવાયું છે.વ્યસનમુકિત માટે સંપર્ક : ડૉ . સતીશ પટેલ MO. 98251 62162 ડૉ . રવિન્દ્ર ભટ્ટ MO. 98982 88777 ધરતીબેન બરાસરા MO.98259 41704








