
વિજાપુર તિરુપતિ ઋષિવન ના ગ્રીનએમ્બેસેડર ગ્રીન ગ્લોબલ ના સ્થાપક જીતુભાઇ પટેલે 61માં વર્ષે 61 વૃક્ષો નું રોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો


વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદીના તટે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ ના સ્થાપક જીતુભાઇ પટેલે પોતાના 61 માં જન્મ દિવસની ઉજવણી 61 જેટલા વૃક્ષો નું રોપણ કરીને ઇષ્ટદેવ ની આરાધના સાથે વૃક્ષ નારાયણ ની પૂજા કરી પોતાના જન્મ દિવસ ની ઉજવણી ગ્લોબલ ફાઉન્ડેશન બ્રિગ્રેડ ના સભ્યો અને પરિવાર સાથે કરવામાં આવી હતી પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે 1/સપ્ટેમ્બર રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના 61માં જન્મ દિવસ નિમિત્તે નીલેશભાઈ રાજગોર અને ગ્રીન કમાન્ડો રોહીતભાઈ ગ્રીન કમાન્ડો પારસભાઈ .ગ્રીન કમાન્ડો રામભાઈ માળી ગ્રીન ગ્લોબલ ના ગુજરાત ના અધ્યક્ષો. દ્વારા વૃક્ષારોપણ કરી જીતુભાઈ પટેલને 61 માં જન્મ દિવસ પર વિસનગર . તિરૂપતિ ઋષિવન સાબરમતી પાટણ તરૂવન. ધાનેરા . 61 વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના અધ્યક્ષ નીલેશભાઈ રાજગોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીધૉયુ આયુષ્ય અને સ્વસ્થ માટે વૃક્ષારોપણ કરી ને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી હતી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ એ પણ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે વૃક્ષ વાવી અને જતન કરીને ઊજવણી કરી દરેક નાગરીક અને પયૉવરણ પ્રેમી ને અપીલ કરી હતી કે તમે પણ આ રીતે વૃક્ષો વાવીને દરેક તહેવાર કે પ્રસંગ ની ઊજવણી કરો જેથી ધરતી જલ્દી થી હરીયાળી બનાવો તેવી અપીલ કરી હતી





