
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સમસ્યાઓનું થયું સમાધાન “સ્વાગત” બન્યું લોક અભિયાન
લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે.
જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નવસારી શહેરીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, નવસારી ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૨ અરજીઓ લેવામાં આવી હતી. જે પૈકી ૮ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.






