
તાલુકા કાનુની સેવા સમિતિ અને વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા મઠ મુકામે બાળકોને વન મહોત્સવ અભિયાન અંતર્ગત પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા.નિર્જન વિસ્તારને પણ હરિયાળું કેવી રીતે બનાવવો તે વિષય પર બાળ સવાંદ તેમજ બાળ વાર્તા દ્વારા બાળકોને સમજવામાં આવ્યા તેમજ બાળકોમાં જાગૃતિ આવે અને ભવિષ્યમાં જાગૃતિ થાય.તેમજ શાળાના બાળકોને પ્રતિજ્ઞા લીધી, કે અમે એક વુક્ષ વાવશું.અને તેની જાળવણી પણ ક્રશું .અને તેને એક મિત્રની જેમ તેનું ધ્યાન રાખછું.તેમજ વુક્ષ આપણા મિત્રો છે.જેવા સ્લોગનો આપ્યા. તેમજ પર્યાવરણ રક્ષણ માટેના અધિકારો ,વિશે સમજવામાં આવ્યા.
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, ત્રિનેત્ર ના ટ્રસ્ટી શ્રી ડો, પ્રો રામભાઇ વાઢેર તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી, શાળાના આચાર્ય શ્રી મોહનભાઈ બારૈયા તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






